ખેડા જિલ્લામાં ‘જનરક્ષક’ વાન સેવા શરૂ: તમામ કટોકટી સેવાઓ માટે હવે એક જ નંબર, 112

નરેશ ગનવાણી નડિયાદ

ગુજરાત સરકારની નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સહાય પૂરી પાડવાની પહેલ અંતર્ગત ખેડા જિલ્લામાં ‘જનરક્ષક’ વાન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાનો મુખ્ય હેતુ કટોકટીના સમયે નાગરિકોને ઝડપી અને અસરકારક મદદ પહોંચાડવાનો છે. આ સેવા અંતર્ગત જિલ્લામાં કુલ ૨૨ ‘જનરક્ષક’ વાન કાર્યરત કરવામાં આવી છે, જે નડિયાદ જિલ્લા પોલીસ વડાની કચેરીના કન્ટ્રોલ રૂમ પરથી સતત દેખરેખ હેઠળ રહેશે. આ નવી સેવા સાથે, નાગરિકોને હવે અલગ-અલગ કટોકટી નંબરો યાદ રાખવાની જરૂર રહેશે નહીં. તમામ સેવાઓ માટે હવે માત્ર એક જ નંબર, ૧૧૨, ડાયલ કરવાનો રહેશે. આ ‘એક નંબર, અનેક સહાય’ની વિભાવના પર આધારિત ઇમરજન્સી સેવાઓ નાગરિકો માટે સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરશે. ખેડા જિલ્લામાં મંગળવારથી આ સેવા પ્રજા માટે ઉપલબ્ધ બની છે. આ શુભ અવસરે, નડિયાદ એસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓની હાજરીમાં ૨૨ જનરક્ષક વાનને લીલી ઝંડી આપીને પ્રજાસેવામાં સમર્પિત કરવામાં આવી હતી.

One thought on “ખેડા જિલ્લામાં ‘જનરક્ષક’ વાન સેવા શરૂ: તમામ કટોકટી સેવાઓ માટે હવે એક જ નંબર, 112

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!