દાહોદમાં જીપીએસસીની પરીક્ષા આપવા આવેલ પરીક્ષાર્થીઓને પ્રવેશ ન આપતાં રોષ
દાહોદ તા.૨૭
દાહોદ, દાહોદમાં જીપીએસસીની વર્ગ ૧ અને ૨ની પરીક્ષા આપવા આવેલ પરિક્ષાર્થીઓને પ્રવેશ ન આપાતાં પરીક્ષાર્થીઓ સહિત તેમના વાલીઓમાં ભારે રોષ જાેવા મળ્યો હતો જાણવા મળ્યાં અનુસાર, દાહોદ પોલિટેકનીક ખાતે પરીક્ષા કેન્દ્ર ખાતે સમયસર ૯.૫૦ કલાકે પહોંચેલ પરીક્ષાર્થીઓને સંચાલકો દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો ન હોવાના પરીક્ષાર્થીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં જેને પગલે પરીક્ષાર્થીઓ તેમજ તેમના વાલીઓમાં ભારે રોષ જાેવા મળ્યો હતો.

