દાહોદમાં વધુ ૩૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાંયાં : ૪૩ દર્દીઓ સાથા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

દાહોદ તા.૩૦

દાહોદમાં વધુ ૩૧ કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં છે. ધીમે ધીમે દાહોદમાં કોરોનાના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. રાહતના સમાચાર છે. આજે એક સાથે ૪૩ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે.

આર.ટી.પી.સી.આર. ના ૧૩૨૪ પૈકી ૨૧ અને રેપીટ ટેસ્ટના ૫૫૭ પૈકી ૧૦ મળી આજે કુલ ૩૧ કોરોના પોઝીટીવ કેસો નોંધાંયાં હતાં. દાહોદ અર્બનમાંથી ૦૭, ઝાલોદ અર્બનમાંથી ૦૨, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૯, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૫, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૫, ધાનપુરમાંથી ૦૨ અને સંજેલીમાંથી ૦૧ કેસનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૮૧૬૨ને પાર થવા પામ્યો છે. દાહોદમાં એક્ટીવ કેસોની કુલ સંખ્યા૨૬૩ને પાર થવા પામી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!