દાહોદ જિલ્લાનાં ઝાલોદમાં ડબગર સમાજ દ્વારા રાધાકૃષ્ણ મંદિરનો છઠ્ઠા પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૧

ઝાલોદ નગરમાં ડબગર વાસ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરનો ડબગર સમાજ દ્વારા પાંચમો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામા આવ્યો, સવાર થી જ મંદીરમા દર્શન કરવા લોકોનો ઘસારો જોવા મળતો હતો, રાધાકૃષ્ણ મંદિર થી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, નગરના દરેક વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, દરેક વિસ્તારમાં શોભાયાત્રાનું પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, બસ સ્ટેશન વિસ્તારમાં ગરબાની ભવ્ય રમઝટ કરવામાં આવી હતી, ડબગર સમાજના બાળકો, સ્ત્રીઓ, વૃધ્ધ,નવયુવાનો, દરેક લોકો હર્ષોલ્લાસથી જોડાયો હતો, છેલ્લે શોભાયાત્રા પાછી મંદિરે પહોંચતા ત્યાં મહાઆરતી કરવામાં આવી હતી, આરતી પછી મહાપ્રસાદનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, ડબગર સમાજ દ્વારા પોતાના વ્યાપાર બંધ રાખવામાં આવેલ હતા, આમ દિવસભર લોકોમા અનેરો ઉત્સાહ જોવા મળતો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!