ઝાલોદના પાવડી ગામે લગ્ન પ્રસંગની કંકોત્રીમાં નામ છાપવા મામલે થયેલ ઝઘડામાં એકને મોત ઘાટ ઉતાર્યાે તો બીજી તરફ દેવગઢ બારીઆના કેળકુવા ગામે પુત્રએ પિતાનું ઢીમ ઢાળ્યું : દાહોદ જિલ્લામાં બે બનાવોમાં બે વ્યક્તિની હત્યા

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૯
દેવગઢ બારિયા તાલુકાના કેળકુવા ગામે પિતાએ પુત્રને કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતા પુત્રે પોતાના ખર્ચે કરાવેલ હેડ પંપ ઉપરથી પાણી નહીં ભરવાનું તેમ કહી હેન્ડ પંપ ખોલવા જતાં પિતાએ હેન્ડ પંપ ના ખોલવા દેવા બાબતે પુત્રને રોકતા કૂતરાએ ગળુ દબાવી પિતાને મોતને ઘાટ ઉતાર્યો
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીઆતાલુકાના સાગટાળા પોલીસ મથક વિસ્તારના કેળકુવા ગામે હોળી ફળિયા મા રહેતાં રાઠવા નાનીયા ભાઇ રડતિયાભાઇ ઉ ૬૫ જે ગત તા ૧૭ ના રોજ સાંજના સાડા છ વાગ્યા ના અરસામાં ઘરે હતો તે વખતે તેનો પુત્ર શૈલેષ રાઠવા ગામ માથી આવેલો અને આ નાનિયા રાઠવાએ તેના પુત્ર શૈલેષ ને કહેલ કે તારા બબ્બે વાર લગ્ન કરાવેલા અને બંને જગ્યા એ થી છુટાછેડા થયેલ અને હજુ સુધી કોઈ કામ ધંધો કરતો નથી તેમ કહેતા
શૈલેષ રોષે ભરાયેલ અને તેનાં પિતાને ગાળો બોલવા લાગેલ અને તે પછી કહેવા લાગેલ કે તમે મારા હેન્ડ પંપ ઉપરથી પાણી કેમ ભરો છો તેમ કહી તેને હેન્ડ પંપ ખોલવા લાગતા બને પિતા પુત્ર વચ્ચે બોલા ચાલી થતા તે વખતે રાઠવા નાનીયાં ભાઈ નો અન્ય પુત્ર મણીલાલ તેમજ તેની પત્નિ રમતી બેન તેની પુત્રી મનકી બેન પણ ઘરે હાજર હતા તે વખતે પિતા પુત્ર વચ્ચે હેન્ડ પંપ ખોલવા બાબતે વધુ બોલાચાલી થતાં અને આ નાનાભાઈ રાખવા એ તેના પુત્ર શૈલેષને હેન્ડ પંપ ખોલવા ને લઇ રોકવા જતાં શૈલેષ તેના પિતા નાનીયા રાઠવા ને પકડી માર મારવા લાગેલ તે વખતે ઘરે હાજર તેનો અન્ય પુત્ર તેમજ પુત્રી અને પત્ની એમ બધા જ આ પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડી બંનેને છોડાવવા લાગેલ ત્યારે શૈલેષે તેના પિતા નાનીયા રાઠવા ને કહેલ કે આજે તો હુ તને નહી છોડુ તેમ કહી ગળાના ભાગે પકડી લઈ તેનું ગળું દબાવી દીધું હતું અને તે પછી પિતા નાનીયા ભાઈ જમીન ઉપર બે ભાન અવસ્થામાં પડી જતાં શૈલેષ તેના ભાઈ તેમજ તેની માતાને પણ મારવા દોડેલ ત્યારે નાનીયા ભાઈ રાઠવાની પુત્રી તેમજ તેની પત્નિ એ ઉઠાવવાનો પ્રયત્ન કરતા તે કઈ પણ બોલે લ નહીં અને તે વખતે નાના ભાઇના અન્ય પુત્ર મણીલાલ એ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવેલ અને શૈલેષ તે વખતે ત્યાંથી ભાગી ગયેલ ત્યારે આ નાનીયા રાઠવા ને જાેતા તે મરણ ગયેલ હોવાનું જણાઇ આવેલ જેથી તેનાં પુત્ર મણીલાલે તેનો અન્ય ભાઈ ગોપાલ જે હાલોલ રહેતો હોય જેને આ બનાવની જાણ કરતા તે ઘરે દોડી આવેલ અને બંને ભાઈઓ તેમજ અન્ય ગ્રામજનો સાગટાળા પોલીસ મથકે આવી મણીલાલ નાનીયા રાઠવા એ તેના પિતાની હત્યા કરનાર તેના ભાઈ શૈલેષ રાઠવા વિરોધ ફરિયાદ આપતા પોલીસે શૈલેષ રાઠવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસે નાનીયા રાઠવાની લાશને પીએમ અર્થે દેવગઢ બારીઆ સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હત્યારો શૈલેષ રાઠવા ગામ છોડીને નાસી જાય તે પહેલાં જ પોલીસે તેને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.

ઝાલોદના પાવડી ગામે કંકોત્રીમાં નામ છપાવવા મામલે થયેલ ઝઘડામાં મહિલા સહિત ત્રણ જણાએ પિતા – પુત્રને માર મારતાં પિતાનું મોત નીપજ્યુંવાક્‌શક્તિ, દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી ગામે લગ્નની કંકોત્રીમાં નામ છાપવા મામલે થયેલ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતાં મહિલા સહિત ત્રણ જણાએ પિતા – પુત્રને લાકડી વડે, ગડદાપાટ્ટુનો માર મારી તેમજ પેટના ભાગે લાતો મારતાં ગંભીર ઈજાગ્રસ્ત પિતાને પ્રથમ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં ત્યાર વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન પિતાનું મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ગત તા.૧૧મી મેના રોજ પાવડી ગામે ટપાલી ફળિયામાં રહેતાં મહેન્દ્રભાઈ રમસુભાઈ ભાભોર પોતાના મોબાઈલ ફોનથી તેમના કુંટુંબી કાકા સમસુભાઈ કેહજીભાઈ ભાભોર સાથે વાતચીત કરતાં હતાં અને કહેતા હતાં કે, અમરસીંગના છોકરા અક્ષયના લગ્નની કંકોત્રી છપાલે જેમાં મારૂ, મારા પિતા તથા મારાભાઈનું નામ કેલ લખેલ છે ? તેમ કહેતાં કહેતા વાતો કરતાં હતાં તે સમયે જે છોકરાના લગ્ન થવાના હતાં તે અક્ષયભાઈ અમરસીંગભાઈ ભાભોર, તેનો ભાઈ રૂચીતભાઈ અમરસીંગભાઈ ભાભોર અને સંગીતાબેન અમરસીંગભાઈ ભાભોરનાઓ સાથે મહેન્દ્રભાઈની બોલાચાલી થવા લાગી હતી અને ઝઘડાએ ઉગ્રરૂપ દારણ કરતાં અક્ષય, રૂચીતભાઈ અને સંગીતાબેન એમ ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ દોડી આવી મહેન્દ્રભાઈને લાપટો ઝાપટો મારી તેમજ લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારવા લાગ્યાં હતાં તે સમયે મહેન્દરભાઈના પિતા રમસુભાઈ જાેતીયાભાઈ ભાભોર દોડી આવી વચ્ચે છોડવવા પડતાં તેઓને પણ તેઓને પણ લાકડી વડે, ગડદાપાટ્ટુનો માર મારી તેમજ પેટના ભાગે લાતો મારી ગંભીર ઈજાઓ પહોંચાડતાં ગંભીર ઈજાગ્રસ્ત પિતા – પુત્રને પ્રથમ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં મહેન્દ્રભાઈના પિતા રમસુભાઈની સ્થિતી નાજુક જણાતાં તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં રમસુભાઈનું ઓપરેશન કર્યાં બાદ સારવાર દરમ્યાન રમસુભાઈનું મોત નીપજતાં પરિવારમાં માતમ ગમગીની પ્રસરી જવા પામી હતી.સંબંધે મહેન્દ્રભાઈ રમસુભાઈ ભાભોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!