આજરોજ વરોડ પ્રાથમિક શાળામાં અલ્કેશ વૈરાગી દ્વારા ધોરણ 6થી 8 ના બાળકોને સરગવા ના છોડ વિતરણ કરવામાં આવ્યા

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૬

બાળકો ને પર્યાવરણ પ્રત્યે ખૂબ લાગણી હોય છે સાથે વિદ્યાર્થી ઓ પર્યાવરણ નું જતન કરે એવા ઉમદા આશય થી પોતાના ઘર આંગણે,ખેતરમાં સરગવાનું વૃક્ષ ઉછેર કરે તે માટે શાળા ના પ્રકૃતિ પ્રેમી શિક્ષક અલ્કેશ વૈરાગી દ્વારા સરગવાના ઔષધીય લાભો વિશે માહિતી આપવામાં આવી હતી આ છોડવા ની વૃક્ષારોપણ થી માંડી મોટા કરવાની વિદ્યાર્થી ઓ પાસે બાહેધરી લેવામાં આવી હતી.આ સેવાકીય કાર્ય માં આ શિ અલ્કેશ વૈરાગી અને શોએબ મન્સૂરી તથા આચાર્ય જોડાયા હતા.અવારનવાર બાળકોના ઘેરે જઈ વૃક્ષ ઉછેર,માવજત જોવામાં આવશે.
સરગવો : સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. સરગવાના ફાલ વરસમાં બે વખત આવે છે.

સરગવાના મુખ્ય બે પ્રકાર છે, સફેદ ફુલવાળો અને લાલ ફુલવાળો. સફેદ ફુલવાળો બધે જ મળે છે. લીલો સરગવો ન મળે તો સુકવણી પણ વાપરી શકાય છે.

તમામ પ્રકારના સોજામાં સાટોડી જેમ સરગવો પણ કામ આવે છે.

સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર, પચવામાં હલકો, હૃદય માટે હીતકર, ચાંદાં, કૃમી, આમ, ગુમડાં, બરોળ, સોજા, ખંજવાળ, મેદરોગ, ગલકંડ, અપચી, ઉપદંશ તથા નેત્રરોગમાં હીતકારી છે.

સરગવાના મુળની છાલ ગરમ, કડવી, દીપનપાચન, ઉત્તેજક, વાયુ સવળો કરનાર, કફહર, કૃમીઘ્ન, શીરોવીરેચક, સ્વેદજનન, શોથહર અને ગુમડાં મટાડનાર છે.

સરગવાના મુળની છાલનો ઉકાળો સીંધવ અને હીંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે કે ફુટી જઈ મટે છે.
સરગવાનાં કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે.
કફ પુશ્કળ પડતો હોય તો દમ-શ્વાસના દર્દીએ દરરોજ સવાર-સાંજ સરગવાની છાલનો ઉકાળો પીવો.
હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સુપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થાય છે.
કીડનીની પથરીમાં સરગવાના મુળનો તાજો ઉકાળો સારું કામ આપે છે.
૧થી ૨ કીલો સરગવાની શીંગોના નાના નાના ટુકડા કરી રાખવા. થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે અડધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થયા પછી થોડું ધાણા-જીરુ અને હળદર તથા જરુર જણાય તો સહેજ સીંધવ નાખી સવારમાં નરણા કોઠે નીયમીત સેવન કરવાથી દર મહીને બે કીલો વજન ઘટી શકે છે. ઓછી ચરબીવાળો આહાર લેવો અને પેટ સાફ આવે એટલું એરંડભ્રષ્ટ હરીતકીનું ચુર્ણ લેવું.
સરગવાની શીંગના ઉકાળાથી સંધીવા પણ મટે છે. સંધીવાના દર્દીએ સાથે અમૃતગુગળ વાપરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!