સંજેલી રાખ્યા નદીના વળાંકમાં લાંબા રૂટની બસનો થયો હતો અકસ્માત ડ્રાઇવરની સાવચેતી થી મોટી દુર્ઘટના ટળી
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૨
પ્રાપ્ત માહિતી મુજબ સંજેલી લાંબા રૂટની બસને નડ્યો હતો અકસ્માત જામનગર કાલાવડ સંજેલી દાહોદ બસ સંજેલી તરફ આવતા સમયે સંજેલી થી આશરે બે ત્રણ કિલોમીટર દૂર રાખ્યા નદીના વળાંકમાં કઈ કારણોસર બસ રસ્તાથી નીચે ઉતરી પડી હતી ત્યારે હાલ ચોમાસાની સિઝનને લઈને પણ રસ્તાની આસપાસ પોચી માટીના કારણે આ બસ રસ્તાની નીચે ઉતરતા કાદવ કિચડ , પોચી માટી હોવાના કારણે ફસાઈ ગઈ હતી જો કે કહી શકાય કે બસ ડ્રાઇવર ની સાવચેતીના કારણે કોઈ મોટો બનાવ બન્યો ન હતો . જોકે આ બનાવ સંબંધે એસટી વિભાગને પણ જાણ થતા બસને તે સ્થળ ઉપરથી બહાર કાઢવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી . ક્રેન બોલાવવામાં આવ્યું હતું તેમ જ બસને ખેંચીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
તેમજ સંજેલી થી વાયા સુલિયાત થઈ અને ગોધરા જવાનો પણ આ મુખ્ય માર્ગ છે ત્યારે સંજેલી થી પિછોડા લીમડા સુધીનો બે થી ત્રણ કિલોમીટરનો અંદાજિત માર્ગ સિંગલ પટ્ટી જ બનાવી અને છોડી દેવામાં આવ્યો અને આગળના માર્ગને ડબલ પટ્ટી બનાવવામાં આવતા આ સિંગલ પટ્ટી રસ્તામાં વારંવાર અકસ્માતના પણ બનાવો બનતા હોવાથી વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે આ સમસ્યાથી તેમજ આ માર્ગની બાજુમાં માટીનું પુરણ પર યોગ્ય રીતે ના થયું હોવાથી પણ ચોમાસાના વરસાદથી રસ્તાની સાઈડો પણ વાહનો પસાર થતાં પોચી માટીના કારણે ફસાઈ જતા હોય છે . જે બાબતે વાહન ચાલકો દ્વારા પણ આ સમસ્યાનો યોગ્ય નિરાકરણ આવશે કે કેમ તે પણ એક પ્રશ્નાર્થ છે.

