દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નગવાવ ગામેથી ૧૭ વર્ષીય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી લઈ નાસી જતો યુવક

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નગવાવ ગામેથી એક ૧૭ વર્ષીય સગીરાને એક યુવક દ્વારા લગ્ન કરવાની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી ગયાંનું જાણવા મળે છે. ગત તા.૨૨મી ઓગષ્ટના રોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બોઘડવા ગામે મખેડા ફળિયામાં રહેતો કેતનભાઈ ઉમેદભાઈ પટેલે દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!