રાજકોટની પરણિતાએ પતિ તથા સાસરીયાઓના ત્રાસથી દાહોદ પિયર મુકામે આવી પોલીસમાં ફરિયાદ નોંધાવી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૨

દાહોદ શહેરમાં એક પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા પરણિતા પાસે દહેજની માંગણી કરી પરણિતાને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા ત્રાસથી વાજ આવેલ પરણિતાએ પોલીસમાં ફરિયાદ નોંધ્યાંનું જાણવા મળે છે. હાલ પોતાના પિયર દાહોદ શહેરના સહકાર નગર ખાતે રહેતી અને રાજકોટ ખાતે લગ્ન કરેલ પરણિતા રીનાબેન જગદીશભાઈ ઠાકરને તેના પતિ તથા સાસરી પક્ષના આશીષ ગૌરીશંકર ત્રિવેદી, ચંદ્રિકાબેન ગૌરીશંકર ત્રિવેદી અને ઘર્મેશકુમાર ગૌરીશંકર ત્રિવેદી (ત્રણેય રહે.રાજકોટ) દ્વારા પરણિતાને શારિરીકઅ ને માનસીક ત્રાસ આપી, દહેજની માંગણી કરતાં હતાં અને અન્ય સ્થળે લગ્ન કરવાની ધમકી આપી, જાે કોઈ કાર્યવાહી કરશો તો પરણિતા અને તેમના પરિવારજનોને મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે પરણિતા પોતાના પિયર દાહોદ મુકામે આવી પહોંચી ઉપરોક્ત પોતાના સાસરીયાઓ વિરૂધ્ધ દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!