ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ
દાહોદ તા.૨૫
ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે એક યુવકે ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ નાસી ગયાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના કરોડીયાપુર્વ ગામે રહેતા વીજેશભાઈ દલાભાઈ ભમાતે ગત તા.૨૩.૧૧.૨૦૧૯ના રોજ ફતેપુરા તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી હતી અને પÂત્ન તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

