ઝાલોદ નગરમાં આવેલ માંસ મટનની દુકાનોમાં ખાનાપૂર્તિ થયેલ હોવાની નગરમાં થતી ચર્ચા : બંધ દરવાજે પણ નગરમાં વેચાતું માંસ મટન

પંકજ પંડિત ઝાલોદ

થોડા સમય અગાઉ ઝાલોદ નગરપાલિકા દ્વારા 17 જેટલી ગેરકાયદેસર ચાલતી માંસ મટનની દુકાનો બંધ કરાવી હાઈકોર્ટના હુકમનુ પાલન કર્યું હતું. નગરપાલિકા દ્વારા તાળાંતો મારવામાં આવ્યા પણ છતાય ગેરકાયદેસર રીતે માંસ મટન વહેંચાઈ રહ્યું છે તેવું નગરજનો કહી રહેલ છે.

ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ માંસ મટનની ગેરકાયદેસર દુકાનો ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ નગર પાલિકા દ્વારા તાળા મારી બંધ કરવામાં આવેલ છે. તમામ દુકાનોની આગળ તાળું તો લટકતુ જોવા મળે છે પણ બંધ બારણે પણ માંસ મટન મોટા પ્રમાણમાં વેચાતું હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. દુકાનોમાં તાળું મારેલ હોવા છતાય નગરજનો કહી રહ્યા છે કે ચારેબાજુ જે તે વિસ્તારમાં માંસ મટનની દુકાનોની આજુબાજુ માંસ મટનની દુકાનોમાં તાળાં બંધી હોવા છતાંય માસં મટન વેચાઈ રહ્યું હોય તો ક્યાથી, કેવી રીતે વેચાઈ રહ્યું છે તે જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસનો વિષય છે. દુકાનોને તાળા મારેલ હોવા છતાય જો માંસ મટન વેચાતું હોયતો નગર પાલિકા દ્વારા તાળાં મારી ફક્ત હાઈકોર્ટના હુકમનું પાલન કર્યું છે તેમ જોવાઈ રહ્યું છે.નગરપાલિકા દ્વારા આ વિષય પર ગંભીર રીતે ધ્યાન રાખે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જો નગરપાલિકા ધ્યાન નથી આપતું તો તે આંખ આડા કાન કરી આવા લોકોને છાવરી રહ્યું હોય રહી તેવું લાગી રહ્યું છે
માંસ મટનની દુકાનોમાં તાળાં મારેલ હોવા છતાય જો નગરમાં માંસ મટન વેચાતો હોય તો તાળા મારવાનો શું અર્થ ..❓નગરપાલિકા કે જવાબદાર અધિકારીઓ બંધ દરવાજા પાછળ માંસ મટન ક્યાથી વહેંચાય છે તેની ખાનગી રાહે જો તપાસ કરે તો ચોક્કસ આવા ગેરકાયદેસર રીતે માંસ મટન વેચતા ઝડપાય અને જો કોઈ ખરેખર વહેંચતા પકડાય તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટના હુકમને પણ ઘોળીને પી જનાર આવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!