પ્રધાનમંત્રીશ્રી ના ટીબી મુક્ત ભારત 2025અભિયાન અંતર્ગત આજ રોજ દેવગઢ બારીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- કુવાબૈણા ખાતે કરવામાં આવી.
સિંધુ ઉદય
પ્રધાનમંત્રીશ્રી ના ટીબી મુક્ત ભારત 2025અભિયાન અંતર્ગત આજ રોજ દેવગઢ બારીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- કુવાબૈણા ખાતે જીલ્લા રક્તપિત્ત અધિકારી જીલ્લા ક્ષય અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા અને હાજરીમાં આજ રોજ ટી.બી. પોષણ સહાય કીટ વિતરણ કાર્યક્રમ તથા પેશન્ટ પ્રોવાઇડર મીટીંગ કરવામાં આવી આ મીટીંગ માં કુલ ૨૮ ટી.બી.ના દર્દીઓ હાજર રહેલ હતા તથા ૨૮ ડોટ્સ પ્રોવાઇડર હાજર રહેલ હતા આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડૉ રાહુલ રાઠવા સર , ડૉ નિધી મેડમ ,તાલુકા ટીબી સુપરવાઈઝર, આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર ,આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતો, આ કાર્યક્રમમાં ડો.આર.ડી. પહાડીયા સર દ્વારા તથા ડો. રાહુલ સર દ્વારા દર્દીઓને દવા નિયમિત લેવાની , સમય સર ગળફાની તપાસ કરાવવી , દવાની આડઅસર વિષે સમજાવવામાં આવ્યું, સારવાર દરમ્યાન શું શું ખોરાક લેવો તેનાં વિશે માહીતિ આપવામાં આવી, ગુજરાત સરકાર ની વૈદકીય સહાય યોજના વિશે માહીતિ આપવામાં આવી, દર્દીના ઘરના અન્ય સભ્યો ને એક દિવસની પણ ખાસી આવતી હોય તો તાત્કાલિક તપાસ કરવા માટે પણ કહેવામાં આવ્યું , દર્દીના ઘરમાં 0-6 વર્ષનું બાળક સાથે રહેતું હોય તો તેને પણ આઇ.એન. એચ નામની દવા બાળક ના વજન પ્રમાણે કુલ 06મહીના સુધી બાળક ને આપવાની થાય છે જેથી કરીને બાળક ને ટીબી નો ચેપ ન લાગે,દર્દીએ ખાસી ખાતી વખતે મોં ઉપર રૂમાલ અવશ્ય રાખવો ડોટ્સ પ્રોવાઈડર ને કોઈ તકલીફ હોય તો તેનું પણ નિરાકરણ કરવામાં આવ્યું ,જો ટીબીનો દર્દી ગળફામાં ટીબીના જંતુ ધરાવતો ટીબી સાથે સારવાર લેતો હોય તો તેના ઘર ના અન્ય સભ્યો ને 3 આર એચ નામની ટેબલેટ 03 મહીના સુધી લેવા માટે સમજાવવામાં આવ્યુ જેથી કરી ને ઘર ના અન્ય સભ્યોને પણ ટીબી નો ચેપ ન લાગે. આ કાર્યક્રમમા ધાર્મિક ધર્મ ગુરૂ પણ હાજર રહયા હતા અને તેમના દ્વારા પણ ટીબી દર્દીઓને જેમ નિયમીત પૂજા પાઠ કરીએ છીએ તેમ સારવાર પણ નિયમિત લેવા જણાવ્યુ આવો સૌ સાથે મળીને ટી.બી. ને હરાવીયે,”ટી.બી. હારેગા દેશ જીતેગા”ના સુત્ર ને સાર્થક કરીએ. આ




