મૂકબધિર પિતાએ જ સગી દીકરી પર દુષ્કર્મગુજાર્યુ, પિતા સામે પોલીસ ફરીયાદ

નરેશ ગનવાણી નડિયાદ

મૂકબધિર પિતાએ જ સગી દીકરી પર દુષ્કર્મગુજાર્યુ, પિતા સામે પોલીસ ફરીયાદ

નડિયાદ તાલુકામાં પોતાના સગા પિતાએ જ પોતાની ૧3 વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. સાથે સાથે અન્ય સાત વ્યકિતઓએ પણ વારાફરતી  સગીરા પર દુષ્કર્મ કર્યુંહોવાની ઘટનાથી સામે આવી છે. આ સાત વ્યકિત સગીર વયના હોવાનું બહાર આવ્યુ છે. પોતાની માતાના મૃત્યુ બાદ અનાથ આશ્રમમાં રહેતી  પુત્રીનું કાઉન્સેિલીંગ કરવામાં આવતા આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેથી જિલ્લા મહિલા બાળ કલ્યાણઅધિકારીએ નડિયાદ ગ્રામ્ય પોલીસમથકે તેના પિતા સહિત સાત મળીને કુલઆઠ ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.નડિયાદ તાલુકાના એક  ગામમાં મુધિર પુરૂષ જેની ઉંમર આશરે ૪૭ વર્ષની છે. તેની પત્નીનું અવસાન થોડા વર્ષો પહેલા થયુ હતું. લગ્ન જીવન દરમિયાન એક દિકરી હતી, જે હાલમાં ૧3 વર્ષની છે. જે નડિયાદના એક અનાથ આશ્રમમાંલગભગ છેલ્લા દોઢ વર્ષથી રહેતીહતી. છેલ્લા પાંચ વર્ષથી  સગીરાનોપિતા પોતાની સગીર દિકરીને પોતાનોહવસનો શિકાર બનાવતો હતો.વાર તહેવારે પોતાના પિતાના ઘરે આવતીજતી ત્યારે પિતા ઘરમાં તેણીની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો. વાત આટલેથી અટકતી ન હતી. તે અન્ય ૭ જેટલા લોકો જેમા મોટાભાગના સગીરો હતા. તે પણ ઘરે આવી ૧૩ વર્ષની સગીરાનો એકલતાનો લાભ લઇને આતમામ લોકો વારાફરતી સગીરા સાથેદુષ્કર્મ આચરતાં હતા. આ લોકો 2-2ની ટુકડીઓમા વહેચાઇ જતા અને અને સગીરા સાથે મરજી વિરુદ્ધનુ કૃત્ય કરતા હતા. ૫ વર્ષના લાંબા સમયબાદ સગીરાનું જે અનાથઆશ્રમમાં રહેતી ત્યાં કાઉન્સેલિંગ કરાતાં સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાયો હતો. તેમજ સગીરાએ પોતાની આપવીતીઆશ્રમના સંચાલકોને કહેતાની સાથે જખળભળાટ મચી ગયો હતો. આશ્રમના સ્ટાફ સહિત જિલ્લા બાળ સુરક્ષા એકમ  પીડીત દિકરીના વ્હારે આવી આ મામલે હવસખોર મુકબધિર પિતા સામે તેમજ અન્ય ૭ સામે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!