શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર વિદ્યાલય નું પ્રથમ વાલી સંમેલન યોજાયું.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર વિદ્યાલય નું પ્રથમ વાલી સંમેલન યોજાયું.

જેમાં સૌ પ્રથમ અતિથિશ્રી એ દિપ પ્રાગટ્ય કર્યું. ત્યારબાદ વંદના,સ્વાગત પરિચય કરવામાં આવ્યો.ત્યારબાદ મુખ્ય વકતા તરીકે ડૉ. કનુભાઈ કરકર (વિદ્યાભારતી ના પ્રાંત શૈક્ષિક પ્રમુખ,કેશવ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી અમરેલી ન ચેરમેન,પૂર્વ સેક્રેટરી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ) હતા. જેમના અનેક શૈક્ષણિક વિડિયો યુ ટ્યુબ પર છે.તેમણે વિદ્યાભારતી ના વિદ્યાલયો નું શિક્ષણ,ભારતીય શિક્ષણ તેમજ માતા,પિતા ની પોતાના બાળક માટે તેની ભૂમિકા કેવી હોય તેના વિશે વાત કરી.તેમજ તેને ખૂબ રમુજી રીતે શિક્ષણ વિશે ની વાત કરી. વાલી માં પણ અનેરો ઉત્સાહ રહ્યો.આ સાથે તાપી જિલ્લા માંથી આવેલા સંત શ્રી રુદ્રપૂરી મહારાજ ઉપસ્થિત હતા.તે પણ વિદ્યાલય થી પ્રભાવિત થયા. બૌદ્ધિક બાદ કક્ષ સહ વાલીઓ સાથે આચાર્યો એ બેઠક કરી. આ વાલી સંમેલન માં વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ પાંભર,વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો, આચાર્યો તેમજ બહોળી સંખ્યા માં વાલી ઉપસ્થિત રહ્યા હતા.આ વાલી સંમેલન ના સંયોજક શ્રી જયશ્રીબા જાડેજા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!