દેવગઢ બારીઆના લવરીયા ગામે એક ફોરવીલર ગાડીની અડફેટે મોટરસાયકલ પર સવાર ત્રણ પૈકી એકનું મોત નીપજ્યું

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના લવારીયા ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલને અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર ત્રણ પૈકી એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૨૦મી જાન્યુઆરીના રોજ દેવગઢ બારીઆના લવારીયા ગામે રોડ ઉપર એક ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી એક મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહેલા પંચમહાલ જિલ્લાના ગજાપુરા દુકાન ફળિયામાં રહેતાં સુરેશભાઈ સોમાભાઈ નાયક, દશરથભાઈ કનુભાઈ નાયક અને વિશાલભાઈને જાેશભેર ટક્કર મારી ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતાં. મોટરસાઈકલ પર સવાર ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં ત્રણેયને ગોધરાની ખાતેની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં ત્યાર બાદ શરીરે ગંભીર ઈજાઓને પગલે વધુ સારવાર માટે વડોદરા ખાતેની હોસ્પિટલ ખાતે લઈ જવાતાં જ્યાં સારવાર દરમ્યાન સુરેશભાઈનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે રાજુભાઈ સોમાભાઈ નાયકે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!