દેવગઢ બારીઆના તોયણી ગામે રાહદારીને મોટરસાઈકલના ચાલકે અડફેટમાં લેતાં રાહદારીનું મોત નીપજ્યું

દાહોદ તા.૦૩

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના તોયણી ગામેથી રસ્તે ચાલતાં પસાર થઈ રહેલા એક ૪૫ વર્ષિય વ્યક્તિને એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં રાહદારીનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૦૧ માર્ચના રોજ દેવગઢ બારીઆના ગુણા ગામે તલાવ ફળિયામાં રહેતાં ૪૫ વર્ષિય સુરેશભાઈ ભલાભાઈ હરીજન દેવગઢ બારીઆના તોયણી ગામેથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક મોટરસાઈખલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતાં પસાર થઈ રહેલા સુરેશભાઈને જાેશભેર ટક્કર મારતાં સુરેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતી હતી જેને પગલે સુરેશભાઈનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે શૈલેષભાઈ ભલાભાઈ હરીજને પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!