ગરબાડાના જેસાવાડા નગરમાં મૃત હાલતમાં નવજાત બાળક મળી આવતાં ચકચાર

દાહોદ તા.૧૧

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામેથી કોઈ અજાણી સ્ત્રી દ્વારા નવજાત બાળકને મૃત હાલતમાં તરછોડી જતી રહેતાં આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે. ગત તા.૧૦મી માર્ચના રોજ ગરબાડાના જેસાવાડા ગામે નીચવાસ ફળિયામાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા નવજાત બાળકને મૃત હાલતમાં સ્થળ પર મુકી ફરાર થઈ ગઈ હતી. ત્યારે આ વિસ્તારમાંથી પસાર થથાં સંદિપભાઈ માનસિંગભાઈ રાઠોડની નજર આ તરછોડ મૃત નવજાત બાળક પર પડતાં તેઓએ આસપાસના લોકોને જાણ કરી હતી. ત્યારે આ આ અંગેની જાણ સ્થાનીક પોલીસને પણ કરવામાં આવતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી જ્યાં પોલીસે નવજાત મૃત બાળકના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને મોકલી આપવામાં આવ્યું હતું.

આ સંબંધે સંદિપભાઈ માનસિંગભાઈ રાઠોડે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!