દાહોદના ઝરી (ખુર્દ) ગામે પતિ તથા સાસરીયાઓના ત્રાસથી પરણિતાએ આત્મહત્યા કરતાં ચકચાર મચી
દાહોદ તા.૨૪
દાહોદ તાલુકાના ઝરી (ખુર્દ) ગામે એક પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા આપવામાં આવતાં શારિરીક અને માનસીક ત્રાસથી વાજ આવેલ પરણિતાએ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદના ઝરી (ખુર્દ) ગામે રહેતી પરણિતા શિલાબેનને તેના પતિ સાજીસભાઈ મનુભાઈ મેડા, સસરા મનુભાઈ ગવજીભાઈ મેડા, સાસુ પાંગળીબેન મનુભાઈ મેડા તથા સાસરીપક્ષના વેશિયાભાઈ કમજીભાઈ મેડા, વેસ્તાભાઈ કમજીભાઈ મેડા તથા દિવાનભાઈ કમજીભાઈ મેડાનાઓએ પરણિતા શિલાબેનને બેફામ ગાળો બોલી, અવાર નવાર મેણા ટોણા મારી કહેતાં હતાં કે, તુ અમને ગમતી નથી, તને કાઈ બનાવતાં આવડતુ નથી, તને અમારે રાખવાની નથી, તેમ કહી પરણિતા શિલાબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં ત્યારે આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા શિલાબેને ગત તા.૧૨મી માર્ચના રોજ પોતાની સાસરીમાં આત્મહત્યા કરી લઈ હતી. ઘટનાને પગલે શિલાબેનને પીયરપક્ષમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ સંબંધે બાબુભાઈ બીજીયાભાઈ નિનામાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

