દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર : દાહોદ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ માર્ગ અકસ્માતોના બનેલ ચાર બનાવોમાં ચારના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતની વણઝાર સર્જાઈ છે જેમાં દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર અલગ અલગ સ્થળોએ માર્ગ અકસ્માતના સર્જાયેલ ચાર બનાવોમાં ચાર વ્યક્તિઓના અકાળે મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી એપ્રિલના રોજ ઝાલોદના રૂપાખેડા ગામે સરપંચ ફળિયામાં રહેતાં સંદિપભાઈ કનુભાઈ પારઘી તથા તેમની સાથે રાજનભાઈ રાકેશભાઈ સંગાડા (રહે.છાપરી, તા.જિ.દાહોદ) નાઓ એક મોટરસાઈકલ પર સવાર થઈ ઝાલોદના રૂપાખેડા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે સંદિપભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી જેને પગલે સંદિપભાઈ તથા રાજનભાઈ બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં. જેમાં સંદિપભાઈને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત રાજનભાઈને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે રોહિતભાઈ કનુભાઈ પારઘીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ફતેપુરાના લીમડીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી એપ્રિલના રોજ એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા જવસીંગભાઈ રૂપાભાઈ બરજાેડ (રહે. કાળીયા વલુન્ડા, તા.ફતેપુરા, જિ.દાહોદ) તથા તેમની સાથેના જાગૃતિબેન રમેશભાઈ ડામોરને અડફેટમાં લેતાં જવસીંગભાઈ તથા જાગૃતિબેન બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાયાં હતાં જેને પગલે બંન્ને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન જવસીંગભાઈનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ઈજાગ્રસ્ત જાગૃતિબેન રમેશભાઈ ડામોરે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ ઝાલોદના લીમડી ખાતે કારઠ રોડ ઉપર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી એપ્રિલના રોજ દાહોદ શહેરના મંડાવાવ રોડ ખાતે સંગમ પાર્ક મોઢીયા સોસાયટી ખાતે રહેતાં સજ્જનસિંહ ધોતી (લબાના) તથા તેમની સાથે સ્મિતભાઈ એમ બંન્ને વ્યક્તિઓ એક મોટરસાઈકલ પર સવાર થઈ ઝાલોદના લીમડી ગામેથી કારઠ રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે સામેથી આવતી અન્ય એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સજ્જનસિંહની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં સજ્જનસિંહ તથા સ્મિતભાઈ એમ બંન્ને વ્યક્તિઓ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે સજ્જનસિંહને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે સ્મિતભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે રાજેન્દ્રકુમાર સજ્જનસિંહ ધોતી (લબાના)એ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાંત પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો ચોથો બનાવ સીંગવડના પીસોઈ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૮મી એપ્રિલના રોજ ટુ વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ટુ વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે સીંગવડના પીસોઈ ગામેથી ચાલતાં પસાર થઈ રહેલા રાકેશભાઈ પ્રભાતભાઈ બારીય (રહે. પીસોઈ, નાળા ફળિયું, તા.સીંગવડ, જિ.દાહોદ) ને અડફેટમાં લઈ જાેશભેર ચક્કર મારતાં રાકેશભાઈને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ધનીબેન શંકરભાઈ બારીયાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!