ઝાલોદના દેપાડા ગામે ટ્રકની અડફેટે મોટરસાઈકલ પર સવાર બે પૈકીનું એકનું મોત
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દેપાડા ગામે એક ટ્રકના ચાલકે એક મોટરસાઈકલ પર સવાબે વ્યક્તિનઓને અડફેટમાં લેતાં બે પૈકી એકનું શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૩મી એપ્રિલના રોજ ઝાલોદના કચુંબર ગામે આમલા ફળિયામાં રહેતાં અજયભાઈ મુકેશભાઈ તથા તેમની સાથે કિશનભાઈ રામુભાઈ પરમાર એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ ઝાલોદના કચુંબર ગામેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અજયભાઈના કબજાની મોટરસાઈકલને અડફેટમાં લેતાં અજયભાઈ તથા કિશનભાઈ બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે કિશનભાઈને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત અજયભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ધીરૂભાઈ કાળુભાઈ પરમારે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.