ઝાલોદના ધાવડીયા ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા.૧.૧૮ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડા રૂપીયા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૧,૧૮,૫૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં વિસ્તારમાં તસ્કરોના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ઝાલોદના ધાવડીયા ગામે સીમળીયા ફળિયામાં રહેતાં ગટુભાઈ વરસીંગભાઈ ભાભોરના બંધ મકાનમાં ગત તા.૦૬ જુનના રોજ અજાણ્યા ચોર ઈસમોએ ગટુભાઈના બંધ મકાનનું તાળુ તોડ્યું હતું અને મકાનમાં પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલ તિજાેરી તથા પેટીનું લોક તોડી અંદર મુકી રાખેલ રોકડા રૂપીયા ૨૦૦૦ તથા સોના-ચાંદીના દાગીના મળી તસ્કરો કુલ રૂા.૧,૧૮,૫૦૦ની મત્તાની ચોરી કરી નાસી જતાં આ સંબંદે ગટુભાઈ વરસીંગભાઈ ભાભોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.