ધાનપુર તાલુકાના નવાનગર અને મંડોર સેજા માં આંગણવાડી વર્કર અને કિશોરી દ્વારા આંગણવાડી પ્રવેશની તૈયારી કરવામાં આવી


દાહોદ તા.૧૮

ભારત સરકારના આદિજાતિ મંત્રાલય આદિજાતિ સમુદાયોના સર્વાંગી વિકાસ તેમજ સશકિતકરણ માટે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ રાજ્ય સરકારના વિવિઘ ૧૩ વિભાગો સાથે સંકલન સાધીને આદિજાતિ લોકોને લાભાન્વિત કરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે ૧૫ જુન ૨૦૨૫ થી ૩૦ જુન ૨૦૨૫ દરમ્યાન સુધી વિવિધ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવશે.

જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫-૨૬ ના કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર અને મંડોર સેજા માં આંગણવાડી વર્કર અને કિશોરી દ્વારા આંગણવાડી પ્રવેશની તૈયારી કરવામાં આવી હતી. જેમાં આમંત્રણ પત્રિકાઓ, સેલ્ફી પોઇન્ટ અને કિશોરીઓ દ્વારા બુકે બનાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!