ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ ઝાલોદ તાલુકાના આંગણવાડી કેન્દ્રમાં બાળકો દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરાઈ
દાહોદ તા.૧૮
ભારત સરકાર દ્વ્રારા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ ભારત દેશના આદિજાતિ સમુદાયોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંગણવાડી કેન્દ્રમાં મહિનાના ત્રીજા મંગળવારે બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જે દરમ્યાન બાળકો દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેવી કે, બાળકોના જન્મદિવસની ઉજવણી, નવા આવેલ ભૂલકાઓના કુમ કુમ વડે પગલા પાડવા, ચોકલેટ્સ આપી એમનું સ્વાગત કરવું તેમજ આંગણવાડીની પૂર્વ પ્રાથમિક શિક્ષણની દૈનિક પ્રવૃત્તિઓ જેવી અનેક પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.