લીમખેડામાં ૧૫ વર્ષિય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારતો યુવક

દાહોદ તા.૨૯

દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં એક ૧૫ વર્ષિય સગીરાનું એક યુવકે અપહરણ કરી સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંઈ હોવાનું જાણવા મળે છે.

ઝાલોદના સુથારવાસા ગામે રહેતો અજયભાઈ સુભાષભાઈ નિનામાએ ઝાલોદ તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષિય સગીરાનું ગત તા.૨૫મી જુનના રોજ સગીરાને લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ સગીરાનું અપહરણ કરી અજયભાઈ સગીરાને લઈ દાહોદ જિલ્લાના લીમખેડા મુકામે લાવ્યો હતો. જ્યાં સગીરાને ગોંધી રાખી સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતું. સગીરા અજયભાઈના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે પહોંચી હતી અને પોતાની સાથે બનેલ સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારજનોને કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સગીરાને લઈ સગીરાના પરિવારજનો લીમખેડા પોલીસ મથકે દોડી આવ્યાં હતાં અને આ સંબંધે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!