દેવગઢ બારીયા તાલુકાના રૂવાબારી ગામે શ્રી રામકબીર આશ્રમ ખાતે બાળકોને અપાયું આરોગ્યનું શિક્ષણ
દાહોદ તા.૩૦
દેવગઢ બારીયા તાલુકાના રૂવાબારી ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી રામ કબીર આશ્રમ શાળામાં વિધાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં વાહકજન્ય રોગ વિશે માહિતી આપવામાં આવી કે જેમા વરસાદી ઋતુમાં મેલેરીયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. મચ્છર ઉત્પતિ અટકાવો અને મેલેરીયાથી બચો ઘરની આજુ બાજુ પાણીનો ભરાવો થવા દેશો નહી અને ભરેલા પાણીને વહેવડાવી દો પાણી ના નાના નાનાં ખાબોચિયા પૂરી દેવા કાયમી ભરાઈ રહેલા પાણીમાં પોરાભક્ષક માછલી અવશ્ય મૂકવી ઘરની આજુ બાજુ પાણી ભરાઈ રહેલા નકામા પાત્રોનો યોગ્ય નિકાલ કરવા સુચન આપ્યા હતા
મેલેરીયાના લક્ષણો
ધ્રુજારી સાથે સખત તાવ અને ઠંડી લાગે
માથું દુઃખવું, શરીર દુઃખવું, કળતર થાય
ઊબકા અને ઉલટી થાય તાવ ઉતરે ત્યારે ખૂબ પરસેવો વળે
મેલેરીયાથી બચવાનો એક જ ઉપાય વહેલું નિદાન અને સંપૂર્ણ સારવાર
તાવ હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર/આરોગ્ય કાર્યકર પાસે લોહીની તપાસ મફત કરાવો અને મેલેરીયા હોય તો સંપૂર્ણ સારવાર મફત મેળવો
રાત્રે સૂતી વખતે મચ્છરદાની નો ઉપયોગ કરવો
મચ્છર ભગાડવાની અગરબતી અને લીમડાના પાન નો ધુમાડો કરવો
સવાર અને સાંજે ઘરના બારી અને બારણા બંધ રાખવા
આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા
સાવચેતી જ સમજદારી
જેવા બાબતો વિધાર્થીઓ ને સમજ આપવામાં આવી સાથે સાથે હંમેશા જમતા પહેલા વારંવાર સાબુ થી હાથ અવશ્ય ધોવા પાણી ને ઉકાળી ને પીવુ ક્લોરિન યુક્ત પાણી પીવુ સ્વચ્છ અને સ્વાસ્થવર્ધક ખોરાક લેવો
આરોગ્ય ના અન્ય રોગ જેવા કે ટીબી સીકલસેલ જેવી બીમારી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા
આશ્રમમા પીવાના પાણી તથા સાફસફાઈની તપાસ , મલેરિયા ઉત્પતી સ્થાનોની તપાસ કરવામાં આવી.
આ કાર્યક્રમમાં અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર શાળા શિક્ષકગણ અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા