દાહોદ નગરપાલિકાની જન્મ મરણ રજીસ્ટ્રાર કચેરીમાં છેલ્લા ઘણા મહિનાઓથી જન્મના કોરા દાખલાની અછતના કારણે આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે દાહોદ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

જન્મના દાખલા માટે આવતાં અરજદારોને રઝળવાનો વારો આવ્યો : મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતાં અરજદારો પણ હેરાન પરેશાન

અહો આશ્ચર્યમ્.. : સ્માર્ટ સીટી દાહોદ નગરપાલિકાના જન્મ-મરણ રજીસ્ટ્રાર શાખામાં છેલ્લા ઘણા મહિનાઓથી જન્મના કોરા દાખલાઓની અછતના કારણે કામગીરી ઠપ્પ

દાહોદ તા.૦૭

દાહોદ નગરપાલિકાની જન્મ મરણ રજીસ્ટ્રાર કચેરીમાં છેલ્લા ઘણા મહિનાઓથી જન્મના કોરા દાખલાની અછતના કારણે અહીં આવતાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાખલાની અછતના કારણે કામગીરી અટવાઈ ગઈ છે તો બીજી તરફ દાખલા માટે આવતાં અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ત્યારે આ મામલે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે દાહોદ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી જન્મ-મરણના દાખલાની કામગીરી તાત્કાલિક ધોરણ પુન: શરૂં કરવામાં આવે તે માટે રજુઆત કરવામાં આવી છે.

દાહોદ નગરપાલિકા હરહંમેશ કોઈને કોઈ ચર્ચામાં રહે છે. ત્યારે હવે દાહોદ નગરપાલિકાના જન્મ-મરણ રજીસ્ટ્રાર કચેરીમાં જન્મના દાખલાનીની અછતના કારણે છેલ્લા મહિનાઓથી નવા જન્મના દાખલા કાઢી આપવા માટેની કામગીરી ખોરંભે પડી છે. અરજદારો રોજેરોજ લાંબી કતારોમાં જન્મના દાખલા સહિત જન્મના દાખલામાં સુધારા વધારા કરવા માટે કચેરીએ પહોંચી જતાં હોય છે પરંતુ જ્યાં જન્મના કોરા દાખલા ન હોવાને કારણે હાલ આ કામગીરી બંધ પડેલ છે. જેને પગલે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદ સ્માર્ટ સીટી તરીકે ખ્યાતનામ એવા દાહોદ શહેરની નગરપાલિકાની જન્મ-મરણ રજીસ્ટ્રાર કચેરીમાં જન્મના કોરા દાખલાની અછતના કારણે અરજદારોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. દાહોદમાં પ્રસૃતિ કેસોમાં દાહોદ જિલ્લાની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની મહિલાઓ પણ દાહોદની હોસ્પિટલો ખાતે પ્રસૃતિ કરાવવા માટે આવતાં હોય છે. ત્યારે દાહોદ નગરપાલિકામાં જન્મની નોંધણી કરાવવા સારૂ અને ખાસ કરીને જન્મના દાખલા માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ લોકો આવી રહ્યાં છે. જેઓને પણ હવે ધરમ ધક્કા ખાવા પડી રહ્યાં છે ત્યારે આ મામલે આજરોજ દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, જન્મના દાખલા કાઢી આપવાની કામગીરી તાત્કાલિક પુન: શરૂં કરવામાં આવે, વધુમાં દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના જણાવ્યાં અનુસાર, જન્મ-મરણ રજીસ્ટ્રાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ અરજદારો સાથે ગેરવર્તુક પણ કરી રહ્યાં છે માટે આ મામલે પણ ધ્યાન આપવામાં આવે તેવી દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!