ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીના પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત આદિજાતિ ખેડૂતો માટે તા. ૧૯/૧૧/૨૦૨૫ થી ઓફલાઇન અરજી સ્વીકારવાનું શરૂ
ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીના પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ હેઠળ પાત્રતા ધરાવતા અનુસૂચિત જનજાતિ ખેડૂતોને ૧ એકર વિસ્તાર માટે ખાતાદીઠ ૫૦ નંગ ટીસ્યુકલ્ચર ખારેકના રોપા આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત પસંદ થનાર લાભાર્થીઓને વાવેતર અંગે તાલીમ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. મર્યાદિત લક્ષ્યાંક હોય વહેલા તે પહેલાના ધોરણે પાત્રતા નક્કી કરી લાભાર્થીની પસંદગી કરવામાં આવશે.
જે અનુસૂચિત જનજાતિ ખેડૂતો લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નં- ૨૩૩, છાપરી, જિ. દાહોદની કચેરી (ફોન નં. ૦૨૬૭૩-૨૩૯૨૫૧) ખાતેથી અરજીપત્રક મેળવી નીચે મુજબના સાધનિક કાગળો અરજીપત્રક સાથે કચેરીમાં નીચે જણાવેલ સમયમર્યાદામાં રજૂ કરવાના રહેશે.
અરજદારો માટેની સૂચના:-
૧) અરજદારો દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ:- ૩૦/૧૧/૨૦૨૫ રહેશે.
૨) અરજદારે ૭-૧૨ અને ૮-અ ની નકલ, આધારકાર્ડની નકલ, સક્ષમ અધિકારીશ્રીના જાતિના દાખલા સાથે ઓફલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
૩) બારેમાસ પિયતની સુવિધા ધરાવતા તથા કાળી જમીન ન ધરાવતા હોય તેવા ખેડૂતોની પસંદગી કરવામાં આવશે.
૪) અરજદારે લોકફાળા પેટે રૂ. ૭૫૦૦/-આણંદ કૃષિ યુનિવર્સિટીને રોપા વિતરણ સમયે ચૂકવવાના રહેશે.
000

https://shorturl.fm/RATD7