વડોદરાના યુવકને સગામાં થતી પરણિત યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, પરિવારને થઈ આ સંબંધોની જાણ ને…

દાહોદ, તા.૬
દાહોદના યુવકને પોતાના સગપણમાં થતી પરણિત યુવતી સાથે સંબધો બંધાયા હતા. પરિવારને આ સંબધોની જાણ થતા પરિવારમાં ખળભળાટ મચ્યો હતો. પરિવાર આ સંબધોનો વિરોધ કરતો હોવાથી બંને સાથે નહી રહી શકે એ શક્ય નહોતુ બનતુ. ત્રણ દિવસ પુર્વે આ મુદ્દે યુવકને પરિવારજનો સાથે ઝઘડો પણ થયો હતો. આ ઝઘડા પછી હતાશ થઈ ગયેલા અપરણીત યુવકે ફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું છે. આપઘાત પુર્વે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં યુવકે પ્રેમિકાને આઈ લવ યુ આપણે આવતા જનમમાં મળીશું લખીને પોતે જીવન ટુકાવી રહ્યો હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વાંકોલ ગામે રહેતો ર૬ વર્ષનો રમેશ સેંગાભાઈ ડામોર છેલ્લા બે મહિનાથી સંગમ ચાર રસ્તા લાલબહાદુર શોપિંગ સેન્ટરમાં આવેલી અંબિકા વિજય રસઘર નામની દુકાનમાં નોકરી કરતો. દુકાન માલિકે તેને દુકાનમાં જ રહેવા માટેની વ્યવસ્થા કરી આપી હતી. શનિવારે સવારે દુકાન માલિકે દુકાન ખોલી તો અંદર રમેશ ડામોરે પંખા પર ફાંસો ખાઈ લીધો હતો. તેમણે તરત કારેલીબાગ પોલીસને જાણ કરી હતી. કારેલીબાગ પોલીસના પો.હે.કો.અશ્વિનભાઈએ ઘટનાસ્થળે જઈને તપાસ કરતા મૃતકે લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. તેણે પ્રેમિકાનું નામ લખી આઈ લવ યુ આપણે આવતા જનમમાં મળીશુ તેવુ લખ્યુ હતુ. તેણે પોતાના કેટલાક સંબંધીઓના કોલ ડિટેઈલ્સ કઢાવવાનુ પણ લખ્યુ હતુ.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે મૃતક રમેશ ડામોરને પોતાના સગામાં જ થતી એક પરણીત યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. અને છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે સંબંધો હતા. આ પ્રેમિકા તેના દુરના સગપણમાં થતી હતી. આ પ્રમસંબંધની જાણ રમેશના પરિવારજનોને થઈ જતા ત્રણ દિવસ પુર્વે રમેશને પરિવારજનો સાથે ઝઘડો પણ થયો હતો. પ્રેમ સંબંધના કારણે જ રમેશ ડામોરે આપઘાત કરી લીધો હતો. રમેશની પરણિત પ્રેમિકા સગપણમાં જ થતી હોય તેના પરિવારમાં પણ આ બાબતે નારાજગી હતી.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!