સીંગવડ તાલુકાના છાપરવડ ગામે એક પરણિતાને તેના પતિ દ્વારા આપાતા અવાર નવારના શારિરીક તેમજ માનસીક ત્રાસથી

દાહોદ તા.૨૨
સીંગવડ તાલુકાના છાપરવડ ગામે એક પરણિતાને તેના પતિ દ્વારા આપાતા અવાર નવારના શારિરીક તેમજ માનસીક ત્રાસથી તેમજ મારઝુડથી ત્રાસ ગયેલ પરણિતાએ ગામના કુવામાં ઝંપલાવી મોત વ્હાલુ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સીંગવડ તાલુકાના મોટી મંડેર ગામે રહેતી કુસુમબેન અલ્પેશભાઈ વહોનીયાના લગ્ન સીંગવડ તાલુકાના છાપરવડ ગામે રહેતા અલ્પેશભાઈ રમેશભાઈ વહોનીયા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ અલ્પેશભાઈ વહોનીયા દ્વારા પÂત્ન કુસુમબેનને તારે સંતાનમાં કોઈ બાળક નથી તેમજ તારા બાપાના ઘરેથી કાંઈ લાવેલ નથી , મારે બીજી બૈરી લાવવી છે, તેમ કહી અવાર નવાર કુસુમબેનને સાથે મારઝુડ કરી તેમજ દિપીકાબેન શૈલૈષભાઈ વહોનીયાની ચઢામણીથી અવાર નવાર પતિ અલ્પેશભાઈ પÂત્ન કુસુમબેનને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતો હોઈ આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ કુસુમબેને છાપરવડ ગામે પોતાના ઘરની પાછળ આવેલ કુવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કરતા આ સંબંધે સીંગવડ તાલુકાના મોટી મંડેર ગામે રહેતા હવસીંગભાઈ વરસીંગભાઈ ડામોરે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!